સાળંગપુર લાઇવ દર્શન | સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન: ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લામાં બરવાળા ગામ પાસે સાળંગપુર હનુમાન દાદા નું મંદિર આવેલું છે. અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે, અને અહીં આવનાર ભક્તોને દર્શન માત્રથી જ હનુમાનજી તેમના જીવનના તમામ કષ્ટો દૂર કરી દે છે. સાથે સાથે ગ્રહ પીડા કે શત્રુ પીડા પણ નાશ પામે છે.
આ મંદિરનો પાયો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત શ્રી ગોપાલનંદ સ્વામી એ આ મંદિરનો પાયો સ્થાપ્યો છે, અને આશરે આજથી 170 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું એવું માનવામાં આવે છે.
સારંગપુરના મંદિરમાં શ્રદ્ધાળુઓ પોતાના દુઃખ લઈને આવે છે અહીં શ્રદ્ધાળુઓ ભૂત પ્રેત ના વડગાડ ના નિવારણ માટે ખૂબ જ પ્રખ્યાત છે. મેલી જમીનમાં પગ પડી જવો, કે પછી જો કોઈ વ્યક્તિ પર ખરાબ આત્માની નકારાત્મક અસર હોય તો આ મંદિરમાં આવીને તેને દૂર કરવામાં આવે છે, માત્ર હનુમાનજીના દર્શન માત્રથી જ એ વ્યક્તિ એ બધી નકારાત્મક અસરમાથી મૂકત થાય છે ને તેના જીવનમાં સુખી થાય છે.
સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન
દર્શન કરવાનો સમય |
સવારે 6 થી બપોરે 2 સાંજે 4 થી રાત્રે 9 |
પ્રસાદનો સમય |
બપોરે 1 થી ૩ વાગ્યા સુધી |
પૂજન માટે નો સમય |
સવારે 8 થી 9 |
ફી |
નિઃશુલ્ક |
શહેર |
બોટાદ |
જિલ્લો |
બોટાદ |
ઓફિસિયલ વેબસાઈટ |
સાળંગપુર કષ્ટભંજન દેવના લાઈવ દર્શન
સાળંગપુરનું આ મંદિર હાલ BAPS ની સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ મંદિર ખુબ જ સરસ અને સમસ્ત ભારત માં પ્રસિદ્ધ છે. અહી લોકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે છે, તેમજ દર્શનાર્થીઓ દુર દુર થી સાળંગપુર મંદિરના દર્શને આવતા હોય છે.